હિન્દૂ ધર્મમાં બ્રહ્માજી જેના પાર બિરાજમાન છે તે કમળને બ્રહ્માજીનું પ્રતિરૂપ માનવામાં આવે છે. ઘણા લોકો એ પણ માને છે કે જયારે આ ફળ ખીલે છે તો એના પર ભગવાન વિષ્ણુની શૈયા જોવા મળે છે. ભારતમાં બ્રહ્મા કમળનું ફૂલ પિંડાઈથી લઇ જલપા રૂપકુંડ, હેમકુંડ, બ્રિજ ગંગા ફૂલોની ઘાટી અને કેદારનાથ સુધી જોવા મળે છે. સાથે આ ફૂલ હિમાચલના તરાઈ વાળા ક્ષેત્રમાં પણ જોવા મળે છે. આ ફૂલ વર્ષમાં માત્ર એકવાર ખીલે છે. બ્રહ્મા કમળ ઉત્તરાખંડનું રાજ્ય પુષ્પ છે. ઉત્તરાખંડમાં આ ફૂલની ખેતી કરવામાં આવે છે. વર્ષમાં એક વાર થવાના કારણે આ ફૂલને જોવું સૌભાગ્ય માનવામાં આવે છે. ભારતવર્ષમાં આ ફૂલને ઘણા અન્ય નામો પણ આપવામાં આવે છે.
જો તમે ધાર્મિક પુરાણોમાં માનતા હોબ જ પ્રસિદ્ધ છે. બ્રહ્મા કમળ માતા નંદાનું પ્રિય ફૂલ છે, તેથી તેને નંદા અષ્ટમીના દિવસે તોડવામાં આવે છે. બ્રહ્મા કમલનો શાવ તો કે મ કે હિંદુ ધર્મમાં બ્રહ્મા કમળ ફૂલને સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓમાં આ ફૂલ ખૂબ્દિક અર્થ “બ્રહ્માનું કમળ” છે. એવું માનવામાં આવે છે કે આ ફૂલ માત્ર ભાગ્યશાળી લોકોને જ ખીલતા જોવા મળે છે અને જે પણ આ ફૂલને ખીલતા જુએ છે તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.
આ ફૂલનો ઉપયોગ ઔષધીય તરીકે પણ કરવામાં આવે છે.આ ફૂલનો ઉપયોગ બળતરા, શરદી-ખાંસી, હાડકાના રોગોમાં થાય છે. એવું માનવામાં આવે છે કે તેમાંથી નીકળતું પાણી પીવાથી થાક પણ દૂર થાય છે. તબીબી પ્રયોગોમાં આ ફૂલના 174 વિવિધ ફોર્મ્યુલેશન મળી આવ્યા છે. વનસ્પતિશાસ્ત્રીઓએ આ દુર્લભ ફૂલની 31 વિવિધ પ્રજાતિઓ શોધી કાઢી છે.બ્રહ્મા કમળનું ફૂલ માત્ર જોવામાં જ સુંદર નથી તેના અનેક રીતે ઉપયોગમાં પણ આવે છે જેથી કરીને આ ફૂલ બ્રહ્મા કમળ તરીકે જાણીતું છે.