વલસાડમાં નવ વર્ષના બાળકની લાશ મળ્યાના એક સપ્તાહ બાદ પોલીસે ગત મંગળવારે બે લોકોની ધરપકડ કરી છે. આ આરોપીઓમાં એક સગીર પણ છે.
સેલવાસમાં નવ વર્ષના બાળકની કથિત નરબલિ, સગીર સહિત બે આરોપીની કરાઈ ધરપકડ
કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં વલસાડ ખાતે એક નવ વર્ષના બાળકની લાશ મળી આવી હતી. તેના એક સપ્તાહ બાદ પોલીસે મંગળવારે બે આરોપીઓની ધરપકડ કરી છે. બંને કથિત આરોપીઓની ધરપકડ રૂપિયાની લાલચમાં જાદુટોનાની વિધિ કરીને બાળકની નરબલી ચડાવવાના આરોપસાર કરવામાં આવી છે.
આ બાળક 29 ડિસેમ્બર 2022 ના દિવસે ગુમ થયો હતો
માનવ બલિની ઘટના સંદર્ભે પોલીસે એક 16 વર્ષના છોકરાની પણ અટકાયત કરી લોઢી છે. પોલીસ દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર દાદરા નગર હવેલીના મુખ્ય મથક સેલવાસ પાસેના સયાલી ગામમાં રહેતો નવ વર્ષીય ચૈતા ગણેશભાઈ કોહલા 29 ડિસેમ્બર, 2022ના રોજ તેના ઘરની બહારથી ગુમ થઈ ગયો હતો. બાદમાં વલસાડ જિલ્લાના વાપી તાલુકાના કરવડ ગામની કેનાલમાંથી તેની લાશ મળી આવી હતી. બાળકનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો. જેમાંથી માથું અને જમણો પગ ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. ગુમ થયેલા અંગો 5 જાન્યુઆરીએ સયાલી ગામમાં કબ્રસ્તાન નજીકથી મળી આવ્યા હતા.
પરિવાર અને ગ્રામજનોએ મેલીવિદ્યાના આશયથી હત્યા કરાઈ હોવાનો આરોપ લગાવ્યો હતો.
બાળકના પરિવારજનો અને ગ્રામજનોએ આરોપ લગાવ્યો હતો કે બાળક મેલીવિદ્યાનો શિકાર બન્યો છે. બાળકની સડી ગયેલી લાશ મળી આવ્યાના એક દિવસ બાદ પોલીસે 16 વર્ષના છોકરાને કસ્ટડીમાં લીધો હતો. તેણે કથિત રીતે બાળકની હત્યામાં તેની સંડોવણી અંગે ખુલાસો કર્યો હતો. તેણે આ ગંભીર મામલામાં તેના બે મિત્રોની સંડોવણી હોવાનું પણ વિશેમાં જણાવ્યું હતું.
માનવ બલિના ગુનામાં સગીર અને બે આરોપીઓની ધરપકડ
આ પગેરું માંડ્યા બાદ, ગત મંગળવારે પોલીસે હત્યાના આ કાવતરામાં શામેલ સગીર ઉપરાંત બીજા બે આરોપીઓની પણ ધરપકડ કરી હતી. બંને આરોપીઓની ઓળખ વાપી તાલુકાના કરાડ ગામના રહેવાસી 28 વર્ષીય શૈલેષ કોહકેરા અને ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના વતની અને ડીએનએચના અથલ ગામના 53 વર્ષીય રમેશ સાંવર તરીકે થઈ છે.
આ પણ વાંચોઃ- આજનો ઇતિહાસ : ભારતના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પુણ્યતિથિ 11 જાન્યુઆરી
યુટ્યુબ પર વીડિયો જોઈ તેનું અનુકરણ કરી પૈસાના લોભ
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર કસ્ટડીમાં લેવામાં આવેલ સગીર ચૈતાનું ભોગ બનનારા બાળકનું અપહરણ કરી ગયો હતો. તેણે યુટ્યુબ પર વીડિયો જોયા હતા કે કેવી રીતે મોટી રકમ મેળવવા માટે કઈ રીતે માનવ બાલી ચઢાવવામાં આવે છે. શૈલેષ અને રમેશે સગીરને અપહરણ કરાયેલા છોકરાની હત્યા કરવામાં અને વિધિ કરવામાં મદદ કરી હતી. આ અંધશ્રદ્ધાના કારણે ત્રણેયે જઘન્ય ગુના આચર્યા હતા. હવે તેણે પોતાના જીવનનો મોટો ભાગ કાનૂની કાર્યવાહીમાં પસાર કરવો પડશે.
આ પણ વાંચોઃ- Cold wave શું છે શીતલહેર? શું કામ ઉત્તર-પશ્વિમ ભારત ઠંડીથી ધ્રુજી રહ્યુ છે?
સગીર આરોપીને ચિલ્ડ્રન રિમાન્ડ હોમમાં મોકલવામાં આવ્યો છે
દાદરા નગર અને હવેલી (DNH)ના પોલીસ અધિક્ષક (SP) આરપી મીનાએ જણાવ્યું હતું કે આ કેસમાં કસ્ટડીમાં લેવામાં આવેલા 16 વર્ષના છોકરાને સુરતના ચિલ્ડ્રન રિમાન્ડ હોમમાં મોકલી દેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે પોલીસે હત્યા માટે આરોપી દ્વારા ઉપયોગમાં લેવાયેલા તીક્ષ્ણ હથિયારો મળી આવ્યા છે. તેમની સામે IPC કલમ 302 (હત્યા), 201 (ગુનાના પુરાવાનો નાશ કરવો) અને 120 (B) (ગુનાહિત ષડયંત્ર) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. મીનાએ જણાવ્યું કે પોલીસ આ મામલે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર વિવિધ માહિતી અને ધારણાઓ પર આધારિત છે. નીર ગુજરાતી આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની સાચીતા અને પ્રમાણિકતાનો દાવો કરતું નથી.