આમ જોવા જઈએ તો જ્યારથી સ્માર્ટ ફોન આવ્યા છે ત્યારથી ઘણા કામનો લોડ ઓછો થઇ ગયો છે.સ્માર્ટ ફોને નો ઉપયોગ પણ વધ્યો છે અને તેનો દુરુપયોગ પણ થઇ રહ્યો છે. જ્યારથી સ્માર્ટફોન એટલે કે મોબાઇલ આપણા હાથમાં આવ્યા છે ત્યારથી દિવસ હોય કે રાત આપણે મોબાઇલ પર ચીપકેલા રહીએ છીએ. આપણ ને એ પણ ખબર નથી રહેતી કે કેટલા કલાકોથી મોબાઇલ આપડા હાથમાં છે પણ જો તમે રાત્રે સુતા પહેલા પણ મોબાઇલ વાપરો છો તો તે તમારા માટે ખતરનાક સાબીત થઇ શકે છે. અને તમને કરી શકે છે બીમાર…
સ્માર્ટ ફોન આપણા જીવનનો અંગ બની ગયો છે.સવારે ઉઠતાની સાથે મોબાઇલથી લઇને રાત્રે સુવા પહેલા પણ મોબાઈલ.દિવસના કલાકો મોબાઇલ ફોન પર વિતાવતા હોઇએ છીએ.આપના તમામ કામ સરળ બનાવતા મોબાઇલની આ લત તમારા સ્વાસ્થ્ય પર પણ એટલી જ અસર પાડે છે.અને તેમા પણ તે લોકો માટે વધારે હાનીકારક બની રહ્યો છે જેઓ રાત્રે સુતા પહેલા લાઇટ બંધ કરીને લાંબા સમય સુધી મોબાઇલ જુએ છે.તે પોતાના સ્વાથ્યને નુકશાન પહોંચાડી રહ્યો છે.
એક રિપોર્ટમાં સામે આવ્યુ છે કે જો તમે રાત્રે સુતા પહેલા મોબાઇળ ફોનનો ઉપયોગ કરો છો તો તેની સીધી અસર તમારી ઉંઘ પર પડે છે. રાત્રે મોબાઇલના ઉપયોગ કરતાં લોકો સામાન્ય વ્યક્તિ કરતાં ઓછી નિંદ લે છે. એક સ્ટડી અનુસાર જો કોઇ વ્યક્તિ રાત્રે સુતા પહેલા કોઇ બુક રીડ કરે છે અને અન્ય વ્યક્તિ મોબાઇલ વાપરે છે તે મોબાઇલ વાળા વ્યક્તિને ઉંછ ઓછી આવે છે.અને બુક રીડ કરનારને શાંતિની નીંદ આવે છે.
હવે ઉંઘ ઓછી આવવાથી શું થાય. સ્વાભાવીક રીતે ઉંઘની ઘટથી વ્યક્તિના મગજને આરામ ઓછો મળશે.માણસને બેચેની રહેશે. સ્વભાવમાં ચીડિયાપણું આવે છે. જેની વ્યક્તિની એકાગ્રતાની ક્ષમતા ઘટે છે. ફોકસની કમીના કારણે કાર્યક્ષમતા ઘટે છે. અને તેનાથી યાદશક્તિ પણ ઓછી થાય છે. અને હાલ ખાસ કરીને યુવાઓને આ સમસ્યા ખુબ પરેશાન કરી રહી છે.
મોબાઇલમાંથી નિકળતા વાદળી રેયસ આપણી આંખોને નુકસાન પહોંચાડે છે. તેમાં પણ જ્યારે રાત્રી દરમીયાન અંધારામાં મોબાઇલ દેખતા હોઈએ ત્યારે મોબાઇલની આ વાદળી કિરણો. આંખો માટે વધુ ખતરનાક બની રહે છે. એક સંશોધન પ્રમાણે જો કોઇ વ્યક્તિ સ્માર્ટફોનનો ઉપયોગ રાત્રે બિસ્તર પર સુઇને 30 મિનિટ સુધી પોતાની આંખો ફોનની સ્ક્રિન પર ટકાવી રાખે છે. તો અંધ બની શકે છે.
આ વિષયમાં એક્સપર્ટ ડોક્ટરોનું એવું કહેવુ છે કે જો આપ કોઇ સ્માર્ટફોનનો ઉપયોગ મોડી રાત સુધી કરો છો તો તેની સ્ક્રિનની બ્રાઇટનેસ મીનીમમ રાખવી.. જેથી આપની આંખોને વધુ સ્ટ્રેસ ના પડે.
રાત્રે અંધારામાં સ્માર્ટફોનનો ઉપયોગ કરવાથી શરીરમાં મેલાટોનિનનું લેવલ પણ ઘટે છે. મેલાટોનિન હોર્મોનને સ્લીપ હોર્મોન પણ કહે છે. એટલે જો આ હોર્મોનનું પ્રમાણ ઘટવાથી લોકોને સારી ઉંઘ નથી આવતી.સવારે મોડા સુધી ઉંઘવા છતાં દીવસ દરમીયાન સ્ફુર્તિ મહેસુસ નથી કરી શકતા. શરીરની પ્રતિકારક શક્તિ ઘટે છે. શરીરમાં તણાવ, સ્ટ્રેસ અને જલ્દીથી થાકી જવાની સમસ્યાઓ તેમજ યાદશક્તિ પણ ઘટે છે.
રાતના અંધારામાં જો તમે સ્માર્ટફોનનો ઉપયોગ 30 મિનિટ કે તેથી વધુ સમય માટે કરો છો તો તમારી આંખો સુકાવા લાગે છે જેનાથી આંખના રેટીના પર ખરાબ અસર થાય છે સાથે મગજ પર પણ અસર થાય છે.લોકડાઉનમાં રાત્રે લોકોએ ફોનનો ખુબ ઉપયોગ કર્યો છે. કોરોના સંક્રમણ દરમીયાન 16થી 24 વર્ષના આશરે 60 ટકા લોકો પ્રભાવીત થયા છે.ત્યારે ઘણા લોકોને આ બીમારીનો સામનો પણ કરવો પડ્યો છે.હવે તમને ખબર પડી ગઇ હશે કે અમે અંધારામાં સ્માર્ટફોનનો ઉપયોગ કરવાની કેમ ના પાડીએ છીએ. રાત્રે મોબાઇલ વપરાશથી દુર રહો અને તમારી આંખોને સુરક્ષિત રાખો.
તેનાથી બચવા માટે આપણે ક્યારેય રાતના અંધારામાં મોબાઇલનો ઉપયોગ ન કરવો જોઇએ.સાથે આપણા સંતાનોને રાત્રે મોબાઈલ ના વાપરવા માટે કેહવું જોઈએ.જે રીતે રાત્રે રીડીંગ કરતી વખતે લાઇટની જરૂર પડે છે તે જ રીતે સ્માર્ટફોનમાં કોઇ પણ કામ કરતા સમયે લાઈટની જરૂર પડે છે. જો મોબાઇલની સ્ક્રિન તમારા આંખોના સંપર્કમાં આવી રહી છે તો આસપાસ લાઇટ હોવા જરુરી છે.
એટલે કે જો તમે સુતા પહેલા ફોનની આદત છે તો તમારી ભલાઇ એમા જ છે કે તમે તમારી આદત બદલી દો. એટલે કે મોબાઇલના જેટલા ફાયદા છે તો તેના સાઇડ ઇફેક્ટ પણ તેટલા જ છે. જે ધીમે ધીમે અસર કરે છે. ત્યાં સુધી કે અમેરિકા જેવા દેશોમાં લોકો હવે મોબાઇલથી દુરી બનાવવા લાગ્યા છે.