યોગએ શરીર અને મનનું રક્ષાકવચ સમાન છે, જે શારીરિક અને માનસિક વિકારોને દૂર કરીને તંદુરસ્તી આપે છે સાથે સાથે આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ માનવ જીવનને તંદુરસ્ત બનાવે છે. બાળકોમાં પણ યોગ અભ્યાસ તેમના માનસિક અને શારીરિક વિકાસ પર સકારાત્મક ખુબ અસર કરે છે.
આપણને ખબર છે કે પ્રાચીન સમાજથી લઇ આજ સુધીના સમાજમાં યોગ અભ્યાસ જોવા મળે છે. યોગ એ બધા માટે છે.જેમાં આપણે આજે વાત કરીશું યોગ અભ્યાસની.જ્યાં શારીરિક તંદુરસ્તીની વાત આવે ત્યારે આપણને દોડવુ,કુદવું ,ચાલવું,અને વ્યાયામ યાદ આવે છે. દરેક વ્યક્તિની ઉંમર અનુસાર તેની ક્ષમતાને ધ્યાનમાં રાખીને વ્યાયામ કરવામાં આવે છે.
‘યોગ’ એટલે શું અને તેના વિવિધ પ્રકારો
યોગ’નો સરળ અને સામાન્ય અર્થ થાય છે જોડાવવું’ કે ‘જોડવુ’ .અને યોગના વિવિધ પ્રકાર અભ્યાસ હોય છે.
યોગના વિવિધ પ્રકારો નીચે મુજબ છે.
- જ્ઞાન યોગ
- ભક્તિ યોગ
- કર્મ યોગ
- મંત્ર યોગ
- લય યોગ
- હઠયોગ
- રાજ યોગ
- પૂર્ણ યોગ
આજે આપણે વાત કરીશું અષ્ટાંગ યોગની, જે નીચે મુજબ છે. અષ્ટાંગ યોગમાં 8 તબક્કા છે.
- યમ
- નિયમ
- આસન
- પ્રાણાયામ
- પ્રત્યાહાર
- ધારણા
- ધ્યાન
- સમાધિ
આ અષ્ટ યોગનો અભ્યાસ કરીને મનુષ્ય શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે તંદુરસ્ત રહી શકે છે.
યોગનું આધ્યાત્મિક મહત્વ શું છે ચાલો જાણીએ….
આધ્યાત્મિક દ્રષ્ટિએ યોગ અભ્યાસ માનવ જીવનને સભ્ય બનાવે છે. માનવ શરીરમાં રહેલા પંચવાયુ, પંચતત્વ, પંચકોષ તથા ઉર્જા ચક્રો પર સકારાત્મક અસર કરે છે. સાથે સાથે તેનું શારીરિક લચીલાપણું અને ભાવો તથા વર્તન વ્યવહારમાં સમત્વ જોવા મળે છે.
યોગ અભ્યાસ નિરંતર કરવાથી માનવીમાં તેની ચેતન અવસ્થામાં પરિવર્તન જોવા મળે છે. તેના જીવનમાં નવી કલા અને કૌશલ્યોનો વિકાસ થાય છે. સમાજમાં યોગ અભ્યાસનું આગવું મહત્વ છે. સમાજને નવી દિશામાં લઇ જવા માટે યોગ એક સૂર્ય સમાન છે.
બાળકોના માટે ‘રક્ષાકવચ’ સમાન છે યોગ .
યોગમાં મુખ્ય આસન, પ્રાણાયામ, બંધ અને મુદ્રાનો સમાવેશ થાય છે. યોગ એક રક્ષાકવચ સમાન છે, જે શારીરિક, માનસિક વિકારોને દૂર કરીને તંદુરસ્તી આપે છે. બાળકોના જીવનમાં યોગ અભ્યાસ ખૂબ જ જરૂરી છે. બાળકો આઠ કે સાડા આઠ વર્ષની ઉંમર પછી યોગ અભ્યાસ કરી શકે છે. એમનો માનસિક અને શારીરિક વિકાસ બહુ જ જરૂરી છે.તેમની પાચન શક્તિ સુધરે છે અને શ્વસન પણ સુધારે છે.સાથે તેમના વર્તન – વ્યવહારમાં તથા ભાવનાત્મકમાં પણ પરિવર્તન આવે છે.