ચૈત્ર મહિનો એટલે કીડીને કીડીયારું પૂરવાનો મહિનો. ચૈત્ર મહિનો કીડી માટે આખા વર્ષનો ખોરાક ભેગો કરવાનો મહિનો છે. કીડીયારું પૂરતા હોય તેમને મૃત્યુ પછી પણ સ્વર્ગ મળે
આપણે બીજે કશે ન જઈ શકીએ, પરંતુ આપણી સોસાયટીમાં કે તેની આસપાસમાં રહેલા ઝાડ પાસે, પોચી માટીમાં તો કીડીયારું પુરવાનું પુણ્યકાર્ય તો કરી જ શકીએ છીએ . બાજરાનો લોટ, રવો, દળેલી સાકર, સફેદ તલ અને થોડું ઘી ઉમેરીને કીડીયારું બનાવવામાં આવે છે.
કરિયાણાની દુકાનવાળા પણ આ મિક્સચર બનાવી આપે છે. એક મુઠ્ઠી કીડીયારું સેંકડો કીડીઓનો ખોરાક બની શકે છે. સૂકા નાળિયેર લઈ તેમાં અડધે સુધી એક હોલ કરી તેમાં ભેજ વગરનો ગોળ,ખાંડ, ઘી મિક્સ કીડીયારું ભરવામાં આવે છે.
કહેવાય છે કીડીની કીડીયારું પુરવાથી કરજ ઓછુ થાય અને સાત પેઢી શ્રીમંત બને છે. નાળિયેરનાં કીડીયારાને કારણે કીડીને રોટી અને મકાન બંને મળી રહે છે. નાળિયેરમાં ઉ૫૨થી હોલ પાડીને કોપરામાં કીડીયારું ભરવા માં આવે છે બાદ માં વૃક્ષ ની બખોલ માં મુકતા કીડીઓ તેની અંદર થી ખોરાક તો લે છે, પણ ચોમાસામાં વરસાદથી બચવા આશરો પણ તેમાં લે છે.
આપણે કોઈ પણ વ્યક્તિને ભોજન આપીએ તો તે અંતરથી આપણને આશિર્વાદ આપે છે. તો તેવી જ રીતે કીડીઓને કણ નાખવામાં આવે તો તે પણ આપણને આશિર્વાદ આપે છે. આપણી દ૨ેક મુશ્કેલીઓ માં આપણને બચાવે છે, પરંતુ કીડીઓને કણ નાખવાને લઈને એવું પણ કહેવામાં આવે જે લોકો કીડીયારું પૂરતા હોય તેમને મૃત્યુ પછી પણ સ્વર્ગ મળે
ગામડાઓમાં વ્રત-તહેવારે બાળાઓ કીડીયારું પુરતી જોવા મળે છે કેમ કે કીડીયારું પૂરવું તે ખુબ જ પુણ્યનું કામ કહેવાય છે. તેનાથી વ્રત ફળે છે.